પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના એ " Ministry of Micro, Small & Medium Enterprises " ના હેઠળ આવતી યોજના છે. પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના ખાસ કરીને પારંપરિક શિલ્પકારો અને કારીગરોની સહાયતા માટે બનાવેલી યોજના છે.
➤ પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાના મુખ્યબિંદુઓ :
- પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના માટે કેન્દ્ર સરકારે 13000 કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યું છે.
- યોજનામાં 18 પ્રકારના પારંપરિક વ્યવસાયોને આવરી લેવામાં આવેલા છે.
- શિલ્પકાર અને કારીગરોને પ્રમાણપત્ર અને આઈડી કાર્ડ દ્વારા એક અલગ ઓળખ મળશે.
- પહેલા તબક્કામાં 1 લાખ રૂપિયા અને બીજા તબક્કામાં 2 લાખ રૂપિયા ની સહાય 5% ના વ્યાજ દર પર મળી રહે છે.
- યોજના અંતર્ગત કૌશલ વિકાસ પ્રશિક્ષણ, ટૂલકિટ લાભ, ડિજિટલ લેવડ દેવડ પર ઈન્સેન્ટિવ અને માર્કેટિંગ સપોર્ટ મળી રહેશે.
➤ પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનામાં કોને કોને લાભ મળશે :
- સુથારીકામ
- નાવ બનાવવાનું કામ કરનાર
- અસ્ત્ર બનાવનાર
- લુહાર
- તાળું બનાવનાર
- હથોડા અને ટૂલકિટ બનાવનાર
- સોનારનું કામ કરનાર (સોની)
- કુંભાર
- મૂર્તિકાર/પથ્થર કોતરણીકાર
- મોચીકામ
- કડિયાકામ
- ટોપલી, ચટ્ટાઈ, સાવરણી બનાવનાર
- પારંપરિક ઢીંગલી અને રમકડાં બનાવનાર
- નાયી (વાળંદનું કામ કરનાર)
- માળાઓ બનાવનાર
- ધોબી
- દરજી
- માછલીની જાળ બનાવવાનું કામ કરનાર
- સ્વ-રોજગારના ધોરણે અસંગઠિત ક્ષેત્રમાં, હાથ અને સાધનો વડે કામ કરતા કારીગર અને કુટુંબ આધારિત પરંપરાગત વ્યવસાયોમાંથી એક સાથે સંકળાયેલા કારીગર, પીએમ વિશ્વકર્મા હેઠળ નોંધણી માટે પાત્ર હશે.
- નોંધણીની તારીખે લાભાર્થીની લઘુત્તમ વય 18 વર્ષ હોવી જોઈએ.
- લાભાર્થી નોંધણીની તારીખે સંબંધિત વેપારમાં રોકાયેલ હોવો જોઈએ અને તેણે સ્વ-રોજગાર/વ્યવસાય વિકાસ માટે કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકારની સમાન ક્રેડિટ-આધારિત યોજનાઓ હેઠળ લોન લીધી ન હોવી જોઈએ, દા.ત. PMEGP, PM SVANidhi, Mudra, છેલ્લા 5 વર્ષમાં. જો કે, મુદ્રા અને સ્વનિધિના લાભાર્થીઓ જેમણે તેમની લોન ચૂકવી દીધી છે, તેઓ પીએમ વિશ્વકર્મા હેઠળ પાત્ર બનશે. 5 વર્ષનો આ સમયગાળો લોનની મંજૂરીની તારીખથી ગણવામાં આવશે.
- યોજના હેઠળ નોંધણી અને લાભો પરિવારના એક સભ્ય સુધી મર્યાદિત રહેશે. યોજના હેઠળના લાભો મેળવવા માટે, 'કુટુંબ' એ પતિ, પત્ની અને અપરિણીત બાળકોના બનેલા તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે.
- પરિવારના સભ્યો માંથી કોઈપણ વ્યક્તિ સરકારી નોકરી કરતુ હોય તેમના પરિવારના સભ્યો ને આ યોજના હેઠળ લાભ મળવા પાત્ર નથી
➤ પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાના ડોક્યુમેન્ટ :
- આધારકાર્ડ
- આધારકાર્ડ સાથે જોડાયેલ મોબાઈલ નંબર
- રેશનકાર્ડ
- પાનકાર્ડ
- સેવિંગ બેન્ક ખાતાની વિગત
- ઘરમાંથી ફક્ત એક જ વ્યક્તિનું કાર્ડ બનશે
- એક મોબાઈલ નંબર ફક્ત એક જ વાર ઉપયોગ થશે
- વ્યક્તિ એ રૂબરૂ હાજર રહેવું પડશે
➤ પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાનો લાભ લેવા માટે ક્યાં જવું :
પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાનો લાભ લેવા માટે લાભાર્થી એ ઉપર જણાવેલ ડોક્યુમેન્ટ સાથે રૂબરૂ " CSC કોમન સર્વિસ સેન્ટર " ની મુલાકાત કરવાની રહેશે. કોમન સર્વિસ સેન્ટર ની આ સેવા એ તમારા ગામ / શહેરમાં આવેલા ઓનલાઇન સેન્ટર, ગ્રામ પંચાયત, સસ્તા અનાજની દુકાન, સેવા સહકારી મંડળીઓ, સખી મંડળ ની બહેનો આ બધા સ્થાનો એ ઉપલબ્ધ હશે.